Latest review from Bharat Govani
લાલ બહાદુર શાસ્ત્રી બગીચો,
લાલ બહાદુર શાસ્ત્રી બગીચો જય સરદાર રોડ આવેલ છે, જે BRTS (રીંગ રોડ)ની સમાંતર બિગ બજારની પાછળ આવેલ છે. આ બગીચો શ્રી અમરનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ હોવાથી મોટા ભાગે લોકો અમરનાથના બગીચા તરીકે ઓળખે છે.
આ બગીચામાં ચાલવા માટે ટ્રેક છે, વહેલી સવારથી લોકો અહીં ચાલવા આવતા હોય છે, મંદિરમાં દર્શન અને બગીચામાં વોકિંગ સાથે થઈ જાય છે. સાંજના સમયે બાળકો સાથે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.બાળકો માટે લાપસીયા, હીંચકા, ચકરડી અને અન્ય રમતના સાધનો ઉપલબ્ધ છે. વડીલો માટે તો ખાસ છે આ બગીચો. આખો દિવસ વડીલો ઘટાદાર જાડના છાયામાં બેઠા હોય છે. યુવાનો પણ હોય છે. સફાઈ નિયમિત થાય છે.